Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.

Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.  હંમેશા ઓરડાના તાપમાને પાણી ધીમે ધીમે પીવો.  ઠંડું કે બરફનું પાણી પીવાનું ટાળો!  હાલમાં, મલેશિયા, ઇન્ડોનેશિયા, સિંગાપોર અને અન્ય દેશો "ગરમીની લહેર" અનુભવી રહ્યા છે.  આ શું કરવું અને ન કરવું:    1. *ડોક્ટરો સલાહ આપે છે કે જ્યારે તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે ત્યારે ખૂબ ઠંડુ પાણી ન પીવો, કારણ કે આપણી નાની રક્તવાહિનીઓ ફાટી શકે છે.*  એવું નોંધવામાં આવ્યું કે એક ડૉક્ટરનો મિત્ર ખૂબ જ ગરમ દિવસથી ઘરે આવ્યો - તેને ખૂબ પરસેવો થઈ રહ્યો હતો અને તે ઝડપથી પોતાને ઠંડુ કરવા માંગતો હતો - તેણે તરત જ ઠંડા પાણીથી તેના પગ ધોયા... અચાનક, તે ભાંગી પડ્યો અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો.    2. જ્યારે બહાર ગરમી 38 ° સે સુધી પહોંચે અને જ્યારે તમે ઘરે આવો, ત્યારે ઠંડુ પાણી ન પીવો - ધીમે ધીમે માત્ર ગરમ પાણી પીવો.  જો તમારા હાથ કે પગ તડકામાં હોય તો તરત જ ધોશો નહીં. ધોવા અથવા સ્નાન કરતા પહેલા ઓછામાં ઓછા અડધો કલાક રાહ જુઓ.    3. કોઈ વ્યક્તિ ગરમીથી ઠંડક મેળવવા માંગતો હતો અને તરત જ સ્નાન કર્યું. સ્નાન કર્યા પછી, વ્યક્તિને સખત

તાંદળજો

#તાંદળજો 
તાંદળજાને સંસ્કૃતમાં તન્ડુલીય અથવા વિષઘ્નના નામે ઓળખવામાં આવે છે. તાંદળજાનો છોડ એકાદ હાથ ઊંચો થાય છે. ઘઉં જેવા શિયાળુ પાકો ભેગો તાંદળજો પણ એની મેળે ઊગી નીકળતો હોય છે.

તાંદળજાના ગુણધર્મો માટે સંસ્કૃતમાં કહેવાયું છેઃ તંદુભોયો હિમો રુક્ષઃ સ્વાદુપાકરસો લઘુઃ મદપિત્ત વિષાસૃગ્ઘ્નો... મતલબ કે તાંદળજો સ્વભાવે ઠંડો, પચવામાં હલકો, રુચિકર, પાચન પછી મધુર, અગ્નિદીપક, લઘુમૂત્રલ, પથ્યકારક અને સારક છે. એ શરીરમાં ગયેલા ઝેરને હરનાર છે.

તાંદળજો શરીરમાંના બગડેલા પિત્ત, કફ તેમ જ લોહીને સુધારનારો છે. તાંદળજાની ભાજી ત્રિદોષ તાવ - રક્તપિત્ત, અતિસાર, ઉન્માદ, પ્રમેહ તથા ઉદરરોગનો નાશ કરનારી છે. એને સંસ્કૃતમાં સદાપથ્યા એટલે હંમેશા ખાવાવાળી કહી છે. તાંદળજાની ભાજી અનેક રોગો પર ગુણકારી તેમ જ અનેક રોગોમાં ઔષધનું કામ આપનારી છે. તાંદળજાનાં કુમળાં પાનનું શાક તેમ જ એની કઢી બનાવવામાં આવે છે. તાંદળજાની ભાજી સાધારણ રીતે શીતળ અને દસ્ત સાફ લાવનારી છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.

જામફળ : શિયાળાનું અમૃતફળ