*🥭કેરી સાથે ગોટલી ત્થા છાલનો ભરપૂર માત્રામાં ઉપયોગ રાખજો.🥭*
{આ ઉનાળા માં કેરી ની ગોટલી ભેગી કરવાનું ભૂલતા નહી.. નહિતર પસ્તાશો}
🥭ગુજરાત ની કૃષિ યુનિવર્સિટી દ્વારા કેરીની ગોટલી તથા છાલ પર અનોખું સંશોધન
🥭ભારતમાં ૮૦ ટકા શાકાહારીઓમાં - વિટામીન' બી-૧૨'ની ઉણપ હોય છે.
તે દૂર કરવામાં 'ગોટલી' મદદરૂપ બની શકે છે.
🥭કેરી ખાધા પછી -કચરા તરીકે ફેંકી દેવામાં આવતા ગોટલામાંની
ગોટલીનો ખાવામાં ઉપયોગ કરવામાં આવે...તો -માનવ
શરીરમાંની 'વિટામિન બી-૧૨' ની સંપૂર્ણ કમી દૂર કરી શકાય છે.
🥭તેવી જ રીતે -
આ ગોટલીમાંથી મળતું 'મેન્ગીફેરીન' નામનું ઘટક -માનવ બ્લડમાંના
સુગરના લેવલને પણ નિયંત્રણમાં રાખવામાં મહત્વની ભૂમિકા ભજવતું હોવાનું તારણ...
🥭સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી ગોરધનભાઈ પટેલનું કહેવું છે.
ગુજરાતની ચાર કૃષિ યુનિવર્સિટીના સહયોગમાં -તેઓ આ અંગેના
સંશોધનોને વધુ વ્યાપક ફલક પર લઈ જવાનું આયોજન કરી રહ્યા છે..!!
🥭તેમનું કહેવું છે કે -
૧૦૦ ગ્રામ ગોટલીમાંથી ૨ કિલો કેરીના રસ કરતાં વધુ પોષક તત્વો મળી રહે છે.
કેરી કરતાં ૫૦ ગણા વધુ પોષક તત્વો ધરાવતી ગોટલીને
કચરા તરીકે ફેંકી દેવામાં આવી રહી છે.
🥭કેરીની ગોટલીમાં -સંતુલિત પ્રમાણમાં પ્રોટીન,
કાર્બોહાઈડ્રાઈટ્સ, ઓઈલ અને 'ફાઈટોકેમિકલ્સ' છે.
🍑આ બધાં ઘટકો -
વિટામિન બી-૧૨ની ઉણપથી પીડાતા ૮૦ ટકા શાકાહારીઓના
શરીરમાં બી-૧૨નું લેવલ નોર્મલ કરવામાં મદદરૂપ થાય છે...
એમ આજે ગુજરાત ચેમ્બરમાં યોજાયેલી એક પત્રકાર પરિષદને
વિડિયો કોન્ફરન્સની સુવિધાથી સંબોધન કરતાં...
શ્રી ગોરધનભાઈ પટેલે જણાવ્યું હતું.
🥭તેમનું કહેવું છે કે - માનવ શરીર માટે જરૂરી
વીસ (૨૦) એમિનો એસિડમાંથી...
-નવ (૯) એમિનો એસિડ શરીરમાં બનતા જ નથી..!!
🥭આ નવ(૯) એમિનો એસિડ -
✅૧) ફિનાઇલ એલેનિન,
✅૨) વેલિન,
✅૩) થ્રિઓનિન,
✅૪) ટ્રીપ્ટોફન,
✅૫) મેથેઓનિન,
✅૬) લ્યૂસિન,
✅૭) આયસોલ્યુસિન,
✅૮) લાયસિન અને
✅૯) હિસ્ટિડિન... આ દરેક
✅કેરી ની ગોટલીમાં બહુ જ મોટી માત્રામાં હોવાનું જોવા મળે છે.
✅એમિનો એસિડમાંથી તૈયાર થતાં 'પ્રોટીન' જ શરીરની
પાચન સહિતની દરેક ક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
🥭બીજા શબ્દોમાં કહીએ તો -
✅જુદા જુદા એમિનો એસિડની ચેઈન જ પ્રોટીન છે.
✅શરીરના સ્નાયુઓ પણ પ્રોટીનમાંથી જ બનેલા હોય છે.
🥭તદુપરાંત -
✅માનવ શરીરમાં વિટામિન-ડી સિવાયના વિટામીન બનતા નથી.
✅આ વિટામીન મેળવવા માટે આહાર પર જ મદાર બાંધવો પડી રહ્યો છે.
✅કેરીની ગોટલીમાંથી વિટામિન C, K અને E મળે છે.
જે શરીરમાંથી કચરો દૂર કરનારા 'એન્ટિ ઓક્સિડન્ટ' તરીકેની ભૂમિકા પણ ભજવે છે.
🥭તેમ જ, કેરી ની ગોટલીમાંથી -
✅સોડિયામ,
✅પોટેશિયમ,
✅કેલ્સિયમ,
✅મેગ્નેસિયમ,
✅આયર્ન (લોહતત્વ)
✅જસત,
✅મેંગેનિઝ જેવા ખનીજ તત્વો પણ મળી રહે છે.
🥭કાજુ બદામ કરતાં પણ વધુ પોષક ઘટકો કેરીની ગોટલીમાં છે.
વળી, શરીરમાં તેનાથી ચરબી પણ વધતી નથી.
🥭ભારતમાં વર્ષના ૧.૮૮ કરોડ ટન કેરીનું ઉત્પાદન થાય છે.
તેમાંથી 6% ટકા કેરીનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે.
🥭તેમાંથી નીકળતી ગોટલીમાંથી કાર્બોહાઈડ્રેટ, ચરબી અને પ્રોટીન ઉપરાંત..
૪૪ થી -૪૮ ટકા સંતૃપ્ત ફેટી એસિડ, એમિનો એસિડ...
ઉપરાંત, જુદાં જુદાં મિનરલ્સ પણ મળે છે.
*🥭કેરીની ગોટલીમાં - સ્ટાર્ચના સ્વરૂપમાં કાર્બોહાઈડ્રેટ્સ હોવાથી...*
*તેનો ઉપયોગ ઘઉંના લોટના વિકલ્પ... તરીકે પણ થઈ શકે છે.*
🥭ગોટલીમાંનું 'મેન્ગીફેરિન' નું ઘટક ડાયાબિટીસને અંકુશમાં રાખે છે
કેરીની ગોટલીમાં જોવા મળતું આ 'મેન્ગીફેરિન' નામનું ઘટક -
ડાયાબિટીશને અંકુશમાં રાખવાની કામગીરી કરે છે.
✅તેમ જ, તેમાંના 'આઈસો મેન્ગીફેરિન' અને 'ફ્લેવોનાઈડ્સ' જેવા ઘટકો -
'કેન્સર' અને 'મેદસ્વિતા' જેવા રોગ સામે પણ રક્ષણ આપવા સમર્થ છે.
🥭આ અંગેની વધુ સમજણ આપતા ડૉ. હરેશ કેહારિયાએ જણાવ્યું હતું કે -
*આપણા આહારમાં 'પોલીસેકરાઈડ'ના સ્વરૂપમાં સ્ટાર્ચ હોય છે.*
🥭આ સ્ટાર્ચનું વિઘટન થાય...ત્યારે -
તેમાંથી સુગર અલગ પડે છે...અને, તે બ્લડમાં ભળે છે.
🍊આ માટે આંતરડાંમાં -*'એમિલાઈઝ' નામના પાચક રસો ઝરે છે.*
*આ રસો ..સ્ટાર્ચમાંની 'સુગર' ને અલગ પાડવાનું કામ કરે છે...!!*
🥭પરંતું, મેન્ગીફેરિન નામનું ગોટલીમાંનું ઘટક આ પ્રક્રિયાને મંદ પાડી દે છે.
તેથી સ્ટાર્ચમાંથી સુગર અલગ પડતી જ નથી. તેથી ડાયાબિટીસ અંકુશમાં રહે છે.
🥭બીજા શબ્દોમાં કહીએ તો -બ્લડમાં સુગર ભળતી જ નથી.
તેથી ડાયાબિટીશ 'અંકુશ' માં રહે છે !!
🥭છાલ' સાથે કેરી ખાવાથી પણ ડાયાબિટીશ અંકુશમાં રહે છે.
કેરીની ગોટલીની માફક કેરીની 'છાલ'માં પણ *મેન્ગીફેરિન* છે.
✅તેથી -પાકી કેરી છાલ સાથે ખાવામાં આવે...તો -
તેનાથી *ડાયાબિટીશના દરદીઓને ફાયદો મળી શકે છે.*
✅છાલની સાથે માનવ શરીરના આંતરડાંમાં જતાં 'ફાઈબર' પાચનની પ્રક્રિયાના સરળ બનાવે છે.
શરીરમાં જતાં ફાઈબર શરીરમાંની વધારાની સુગર પણ બહાર ખેંચી જાય છે.
✅માટે, મિત્રો ! 🥭સમર સીઝનમાં -
🥭કેરી સાથે ગોટલી ત્થા છાલનો ભરપૂર માત્રામાં ઉપયોગ રાખજો.🥭
*આયુર્વેદિક જીવનશૈલી*
*રાજ પરમાર*
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો