Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.

Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.  હંમેશા ઓરડાના તાપમાને પાણી ધીમે ધીમે પીવો.  ઠંડું કે બરફનું પાણી પીવાનું ટાળો!  હાલમાં, મલેશિયા, ઇન્ડોનેશિયા, સિંગાપોર અને અન્ય દેશો "ગરમીની લહેર" અનુભવી રહ્યા છે.  આ શું કરવું અને ન કરવું:    1. *ડોક્ટરો સલાહ આપે છે કે જ્યારે તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે ત્યારે ખૂબ ઠંડુ પાણી ન પીવો, કારણ કે આપણી નાની રક્તવાહિનીઓ ફાટી શકે છે.*  એવું નોંધવામાં આવ્યું કે એક ડૉક્ટરનો મિત્ર ખૂબ જ ગરમ દિવસથી ઘરે આવ્યો - તેને ખૂબ પરસેવો થઈ રહ્યો હતો અને તે ઝડપથી પોતાને ઠંડુ કરવા માંગતો હતો - તેણે તરત જ ઠંડા પાણીથી તેના પગ ધોયા... અચાનક, તે ભાંગી પડ્યો અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો.    2. જ્યારે બહાર ગરમી 38 ° સે સુધી પહોંચે અને જ્યારે તમે ઘરે આવો, ત્યારે ઠંડુ પાણી ન પીવો - ધીમે ધીમે માત્ર ગરમ પાણી પીવો.  જો તમારા હાથ કે પગ તડકામાં હોય તો તરત જ ધોશો નહીં. ધોવા અથવા સ્નાન કરતા પહેલા ઓછામાં ઓછા અડધો કલાક રાહ જુઓ.    3. કોઈ વ્યક્તિ ગરમીથી ઠંડક મેળવવા માંગતો હતો અને તરત જ સ્નાન કર્યું. સ્નાન કર્યા પછી, વ્યક્તિને સખત

ઘી વગર ની રોટલી ખાવા વાળાઓ, આ સત્ય જાણીને ચોકી જશો

.ઘી વગર ની રોટલી ખાવા વાળાઓ, આ સત્ય જાણીને ચોકી જશો..આજકાલની આ જિંદગીમાં આપણે એટલું બધું એડજસ્ટ કરતા થઈ ગયા છીએ કે ઘણા લોકો કસરત અથવા વ્યાયામ ન કરી શકતા હોય તો ખાવામાં કન્ટ્રોલ અથવા ડાયટ-કન્ટ્રોલ રાખીને વજન ઉતારવાની કોશિશ કરે છે. અને આ કોશીષમાં ઘણા લોકો ઘી વગરની રોટલી ઓ પણ ખાતા હોય છે. ઘણા લોકોના મનમાં એવું હોય છે કે ઘી વાળી રોટલી ખાવાથી કોલસ્ટ્રોલ અથવા હૃદય રોગની બીમારીઓ થાય છે. પરંતુ તમને જણાવી દઈએ કે આ એક જૂઠાણું છે. કોલેસ્ટ્રોલ અને હૃદયરોગની બીમારી ઓ વનસ્પતિ તેલ તેમ જ વનસ્પતિ ઘી ના હિસાબે થાય છે.અને લોકો પણ આંધળું અનુકરણ કરી નાખે છે. એક વ્યક્તિએ જે વસ્તુ ફેલાવી હોય તે આપણે પણ સાચું સમજીને ફેલાવી જ નાખીએ છીએ. પરંતુ આની અસર એ થઈ કે લોકોએ ઘી વાળી રોટલી ખાવાનું બંધ કરી દીધું. તેમજ ડાયટ પ્લાન પણ ઘી વગરની રોટલી નો સમાવેશ થવા માંડ્યો. પરંતુ હકીકત સાવ જુદી જ છે. ચાલો હકીકત જાણીએઘી વાળી રોટલી ખાવી એ શરીર માટે નુકસાનકારક નહિ પરંતુ ખૂબ જ ફાયદાકારક છે. ઘીમાં ઘણા બધા ગુણ રહેલા છે. અને ખાસ કરીને ગાયનું ઘી અમૃત મનાય છે. જણાવી દઈએ કે ઘી આપણા શરીરમાં કોલેસ્ટ્રોલ વધતું નથી પરંતુ ઓછું કરે છે. તેમજ શરીરની અંદર રહેલી ખરાબ ચરબી ને પણ ઘી જ ઓછી કરે છે. ઘીનું નિયમિત સેવન બ્રેન ટોનીક તરીકે પણ કામ કરે છે. અને નાના છોકરાઓ એ આનું સેવન કરવું લાભદાયી છે.આ સિવાય ઘીનું કામ એક લુબ્રીકેટ એજન્ટનું પણ છે. કારણ કે હાડકાઓ માટે લુબ્રીકેટ એજન્ટની જરૂર પડે છે જે જો તમે ઘીનું નિયમિત સેવન કરતા હોવ તો આ કમી પૂરી થાય છે તેમ જ તમારા મસલ્સ પણ મજબૂત બને છે..આ સિવાય આપણી પાચન ક્રિયા માટે પણ કી ફાયદાકારક છે. રોગ પ્રતિકારક શક્તિ વધારવા તેમજ રોગો સામે લડવા માં ઘી આપણી મદદ કરે છે. આ સિવાય પાચન ક્રિયામાં પણ લાભદાયી હોવાથી કબજિયાતની સમસ્યા મા ખૂબ જ ફાયદાકારક છે.ઘી ખાવામાં પણ કઈ રીતે ખાવું તે મહત્વનું છે. તમે સામાન્ય માણસ માટે ૪ ચમચી ઘી એ ઘણું છે. ઘી ને તમે ખોરાક ઉપર અથવા ખોરાકને ઘીમાં પકવીને પણ ખાઈ શકાય છે. આ બંને તરીકા મા ઘી ફાયદાકારક નીવડે છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.

જામફળ : શિયાળાનું અમૃતફળ