Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.

Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.  હંમેશા ઓરડાના તાપમાને પાણી ધીમે ધીમે પીવો.  ઠંડું કે બરફનું પાણી પીવાનું ટાળો!  હાલમાં, મલેશિયા, ઇન્ડોનેશિયા, સિંગાપોર અને અન્ય દેશો "ગરમીની લહેર" અનુભવી રહ્યા છે.  આ શું કરવું અને ન કરવું:    1. *ડોક્ટરો સલાહ આપે છે કે જ્યારે તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે ત્યારે ખૂબ ઠંડુ પાણી ન પીવો, કારણ કે આપણી નાની રક્તવાહિનીઓ ફાટી શકે છે.*  એવું નોંધવામાં આવ્યું કે એક ડૉક્ટરનો મિત્ર ખૂબ જ ગરમ દિવસથી ઘરે આવ્યો - તેને ખૂબ પરસેવો થઈ રહ્યો હતો અને તે ઝડપથી પોતાને ઠંડુ કરવા માંગતો હતો - તેણે તરત જ ઠંડા પાણીથી તેના પગ ધોયા... અચાનક, તે ભાંગી પડ્યો અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો.    2. જ્યારે બહાર ગરમી 38 ° સે સુધી પહોંચે અને જ્યારે તમે ઘરે આવો, ત્યારે ઠંડુ પાણી ન પીવો - ધીમે ધીમે માત્ર ગરમ પાણી પીવો.  જો તમારા હાથ કે પગ તડકામાં હોય તો તરત જ ધોશો નહીં. ધોવા અથવા સ્નાન કરતા પહેલા ઓછામાં ઓછા અડધો કલાક રાહ જુઓ.    3. કોઈ વ્યક્તિ ગરમીથી ઠંડક મેળવવા માંગતો હતો અને તરત જ સ્નાન કર્યું. સ્નાન કર્યા પછી, વ્યક્તિને સખત

શરદી ઉધરસ માં દવા નહીં પણ આ વસ્તુ આપશે રાહત

શરદી ઉધરસ માં દવા નહીં પણ આ વસ્તુ આપશે રાહત: સેલેબ ન્યુટ્રિશનિસ્ટ ઋજુતા દિવેકર.ઠંડીના વાતાવરણમાં ઘણા લોકોને નાક બંધ થઇ જવું, ઉધરસ આવવી ગળામાં ઇન્ફેક્શન થઈ જવું કે શરદી વગેરે જેવી સામાન્ય પરેશાનીઓ રહે છે. પરંતુ આનાથી છુટકારો પામવા માટે આપણામાંથી ઘણા લોકો દવા કરાવે છે તો ઘણા લોકો ઘરેલું નુસખાઓ કરતા હોય છે પરંતુ જોઈએ તેવી રાહત મળતી નથી. અને ખુશીની વાત એ છે કે થોડા દિવસ પહેલા મશહૂર લેખક અને જેઓએ સેલિબ્રિટી સાથે પણ કન્સલ્ટિંગ કરેલું છે એવા rujuta diwekar એ એક ઘરેલુ અને ખૂબ જ આસાન નુસખો જણાવ્યો છે.આ નુસખો કઈ રીતે કરવો અને તેમાં શું લેવું ચાલો જાણીએ. હવેથી શરદી-ઉધરસમાં દવા ની જગ્યાએ ઉપયોગ કરી શકાય છે આ નુસખો છે સાકર. આપણે સામાન્ય રીતે આવી પરેશાનીઓથી તંગ આવીને દવા નો સહારો લેતા હોઈએ છીએ. પરંતુ એની જગ્યા પર આ નુસખો કામ આવી શકે છે. ચાલો જાણીએ શું કહે છે આ મશહૂર ન્યુટ્રિશનિસ્ટ આ નુસખા વિશે.આ પહેલા પણ તે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સામાન્ય માણસ ને લઈને ઘણા નુસખાઓ શેર કરતી રહે છે જે આપણને ઘણા કામ લાગી શકે છે. એવી જ રીતે તેને જણાવ્યું હતું કે સાકર પણ ઘણા પ્રોબ્લેમ દૂર કરી શકે છે. તેનું કહેવું છે કે નાની મોટી સમસ્યા ને કુદરતી રીતે દૂર કરી શકાય છે. તેને પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને કહ્યું હતું કે શરદી ઉધરસ તેમજ ગળાના ઇન્ફેકશન અથવા બંધ નાક માટે સાકર ખૂબ જ અસરકારક ઘરેલુ ઉપાય સાબિત થઈ શકે છે.તેને પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે ગળામાં ઇન્ફેક્શન, બંધ નાક અને શરદી ઉધરસ હોય તો સાકર ટ્રાય કરવી જોઈએ. તદુપરાંત તેણે લખ્યું હતું કે આયુર્વેદમાં સાકર એટલે કે મિસરી નો ઉપયોગ સદીઓથી થતો આવ્યો છે. આ ન માત્ર શરદી-તાવથી રાહત આપે છે પરંતુ એનાથી આપણી પાચનશક્તિ પણ મજબૂત થાય છે. આ સિવાય સાકર એસિડિટી અને ગેસ્ટ્રીક માં પણ ફાયદાકારક છે. જો તમે સાકરને મીઠી વસ્તુ માનીને ખાવાનું ઇગ્નોર કરતા હોય તો જણાવી દઈએ કે આ 1 ઔષધી છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.ઘણા લોકોને પ્રશ્ન થશે કે સાકર ફાયદાકારક કેમ છે? સામાન્ય રીતે લોકોનું એવું માનવું હોય છે કે સાકર મા સુગર હોવાથી આ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. પરંતુ હકીકતમાં આવું માનવું તે માત્ર એક મિથ્યા￰ છે. આયુર્વેદમાં કહેવાયું છે કે સાકર રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરે છે જેથી શરીર બેક્ટેરિયા સાથે લડવામાં વધુ સક્ષમ બને છે. સાકરને બનાવવા માટે શેરડી નો ઉપયોગ થાય છે આથી સાકર unrefined હોય છે. પોષક તત્વોથી ભરપૂર સાકરનો ઉપયોગ તમે રેગ્યુલર પ્રોસેસ્ડ સુગર ની જગ્યા પર પણ કરી શકો છો. આ શરીરમાં ના સ્તરને મેન્ટેન કરે છે. જેનાથી લોહીનું સર્ક્યુલેશન સારી રીતે થાય છે અને શરીર એનિમિયા માંથી બચે છે.જણાવી દઈએ કે સાકરને ખાવા માટે પણ સચોટ તરીકા નો ઉપયોગ થવો જોઈએ, સાકરથી બંધ નાક, શરદી ઉધરસ અને ગળાના ઇન્ફેક્શનને દૂર કરવા માટે સાકરના પાવડરની સાથે પીસેલા તીખા અને ઘીને મિક્સ કરો. રાતના જમ્યા પછી આ મિશ્રણને પી જાઓ. આનાથી તમને શરદી ઉધરસ અને બંધ થયેલા નાકમાં રાહત મળશે.આ સિવાય શરદી ઉધરસ તાવ વગેરે દૂર કરવા માટે તમે હલ્કા ગરમ પાણીમાં પણ સાકર ભેળવીને પી શકો છો. આનાથી પણ તમને સમસ્યામાં રાહત મળી શકે છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.

જામફળ : શિયાળાનું અમૃતફળ