Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.

Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.  હંમેશા ઓરડાના તાપમાને પાણી ધીમે ધીમે પીવો.  ઠંડું કે બરફનું પાણી પીવાનું ટાળો!  હાલમાં, મલેશિયા, ઇન્ડોનેશિયા, સિંગાપોર અને અન્ય દેશો "ગરમીની લહેર" અનુભવી રહ્યા છે.  આ શું કરવું અને ન કરવું:    1. *ડોક્ટરો સલાહ આપે છે કે જ્યારે તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે ત્યારે ખૂબ ઠંડુ પાણી ન પીવો, કારણ કે આપણી નાની રક્તવાહિનીઓ ફાટી શકે છે.*  એવું નોંધવામાં આવ્યું કે એક ડૉક્ટરનો મિત્ર ખૂબ જ ગરમ દિવસથી ઘરે આવ્યો - તેને ખૂબ પરસેવો થઈ રહ્યો હતો અને તે ઝડપથી પોતાને ઠંડુ કરવા માંગતો હતો - તેણે તરત જ ઠંડા પાણીથી તેના પગ ધોયા... અચાનક, તે ભાંગી પડ્યો અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો.    2. જ્યારે બહાર ગરમી 38 ° સે સુધી પહોંચે અને જ્યારે તમે ઘરે આવો, ત્યારે ઠંડુ પાણી ન પીવો - ધીમે ધીમે માત્ર ગરમ પાણી પીવો.  જો તમારા હાથ કે પગ તડકામાં હોય તો તરત જ ધોશો નહીં. ધોવા અથવા સ્નાન કરતા પહેલા ઓછામાં ઓછા અડધો કલાક રાહ જુઓ.    3. કોઈ વ્યક્તિ ગરમીથી ઠંડક મેળવવા માંગતો હતો અને તરત જ સ્નાન કર્યું. સ્નાન કર્યા પછી, વ્યક્તિને સખત

માછલીને લોટની ગોળી ખવડાવવાથી શું ખરેખર પુણ્ય મળે? પ્રકૃતિ પર પ્રશ્નાર્થ?

માછલીને લોટની ગોળી ખવડાવવાથી શું ખરેખર પુણ્ય મળે? પ્રકૃતિ પર પ્રશ્નાર્થ?
આજકાલ જીવદયાના નામે ઘણી ન કરવાની પ્રવૃતિઓ થાય છે અને ભોળા લોકો પાસે કરાવવામાં આવે છે. સમાજમાં રહેતા ભોળા લોકો આવી વાતમાં ભોળવાઈને આંધળું અનુકારણ કરતાં સહેજ પણ નથી વિચારતા. પરંતુ એ જીવને આ બધુ ખવડાવવાથી શું નુકશાન થાય છે, તે અંગે આપણે ક્યારેય વિચાર કર્યો? નહીં..!! કારણ આપણને પૂણ્ય જોઈએ છે, ભલેને પછી એ પાપ થઈને મળે, ખરું ને!
ઘણી બધી એવી બાબતો હશે, જે કરતાં પહેલા આપણે પાંચસો વાર વિચાર કરતાં હોઈશું, પણ પાપ-પુણ્ય કે આપણાં લાભની વાત આવે એટલે કોઈપણ ખરાઈ કર્યા વગર આપણે અનુકરણ કરવા માંડીએ છીએ. પરંતુ આવું ન કરતાં, પહેલા આપણે હકીકત પણ જાણવી જોઈએ. પાણીમાં વિચરતી માછલીનો સાચો ખોરાક નાના જંતુઓ અને સેવાળ છે, જ્યારે આવી માછલીનો શિકાર પાણીમાં રહેતા પક્ષીઓ કરે છે. જે એકબીજા સાથે પરસ્પર જોડાયેલા છે અને એકબીજા પર આધાર રાખે છે.
આપણાં શહેરમાં આવેલા અનેક જળાશયો ઉપર તમે જશો ત્યારે જોશો કે, કેટલાક લોકો જળાશયમાં લોટની ગોળીઓ કે મમરા ઘા કરતાં હોય છે. જેનો ઉદ્દેશ્ય ખરાબ નથી, પરંતુ તેઓ ક્યાંક’ને ક્યાંક જળાશયને દૂષિત કરીને પર્યાવરણને નુકશાન પહોંચાડે છે. તમે કહેશો કે એવું થોડું હોય? તો તમે જ વિચારો કે, આ જળાશયનું પાણી શહેરી વિસ્તારના લોકો શું પીવા માટે ઉપયોગમાં નહીં લેતા હોય?
લોટની ગોળી અને મમરા એ અકુદરતી ખોરાક છે. માછલી આ ખાવા ટેવાય જાય, ત્યારે તે જળાશયમાં ઊગતા સેવાળ અને બીજા જંતુઓનો ખોરાક તરીકે ઉપયોગ કરતી બંધ થઈ જશે. પરિણામે સેવાળ અને બીજા જંતુઓનો ઉપદ્રવ જળાશયમાં વધશે. સેવાળ એ પણ એક પ્રકારની વનસ્પતિ જ છે, તે શ્વાસ લેવા માટે પાણીમાંનો ઓક્સિજન જ વાપરે છે. સેવાળનું પ્રમાણ વધવાથી પાણીમાં રહેલો ઓક્સિજન ઓછો થશે, જેને લીધે માછલીઓને પાણીમાંથી મળતો ઓક્સિજન નહિવત મળતા તે મૃત્યુ પામશે, જેની આડકતરી અસર પર્યાવરણ અને માનવ સૃષ્ટિ પર પણ થશે.
બીજી બાજુ માછલીનો શિકાર કરનારા જળચર પક્ષીઓને ગાંઠિયા ખવડાવી એક નવી આદત પાડી દીધી છે. એ તો ના સમજ જીવ છે, એના શરીરને એ માફક આવશે કે કેમ? એ બાબત એ પક્ષીઓ નહીં સમજી શકે, પરંતુ આપણે તો સમજવું જ પડશે ને. ઈશ્વરે જેને જન્મ આપ્યો છે, તેનું પેટ ભરવાનું એ નહીં ભૂલે. જેથી માનવીને એમાં જીવદયાના નામે ખલેલ પહોંચાડવાનો કોઈ જ અધિકાર નથી…

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.

જામફળ : શિયાળાનું અમૃતફળ