Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.

Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.  હંમેશા ઓરડાના તાપમાને પાણી ધીમે ધીમે પીવો.  ઠંડું કે બરફનું પાણી પીવાનું ટાળો!  હાલમાં, મલેશિયા, ઇન્ડોનેશિયા, સિંગાપોર અને અન્ય દેશો "ગરમીની લહેર" અનુભવી રહ્યા છે.  આ શું કરવું અને ન કરવું:    1. *ડોક્ટરો સલાહ આપે છે કે જ્યારે તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે ત્યારે ખૂબ ઠંડુ પાણી ન પીવો, કારણ કે આપણી નાની રક્તવાહિનીઓ ફાટી શકે છે.*  એવું નોંધવામાં આવ્યું કે એક ડૉક્ટરનો મિત્ર ખૂબ જ ગરમ દિવસથી ઘરે આવ્યો - તેને ખૂબ પરસેવો થઈ રહ્યો હતો અને તે ઝડપથી પોતાને ઠંડુ કરવા માંગતો હતો - તેણે તરત જ ઠંડા પાણીથી તેના પગ ધોયા... અચાનક, તે ભાંગી પડ્યો અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો.    2. જ્યારે બહાર ગરમી 38 ° સે સુધી પહોંચે અને જ્યારે તમે ઘરે આવો, ત્યારે ઠંડુ પાણી ન પીવો - ધીમે ધીમે માત્ર ગરમ પાણી પીવો.  જો તમારા હાથ કે પગ તડકામાં હોય તો તરત જ ધોશો નહીં. ધોવા અથવા સ્નાન કરતા પહેલા ઓછામાં ઓછા અડધો કલાક રાહ જુઓ.    3. કોઈ વ્યક્તિ ગરમીથી ઠંડક મેળવવા માંગતો હતો અને તરત જ સ્નાન કર્યું. સ્નાન કર્યા પછી, વ્યક્તિને સખત

કબજીયાત થી છો પરેશાન? આ રહ્યા ઉપાયો


કબજિયાત એક એવી સમસ્યા છે, જેનાથી આપણા દેશના જ નહીં, પરંતુ દુનિયાના કરોડો લોકો પરેશાન છે. કબજિયાતને કારણે એસિડિટી, માથાનો દુખાવો, ગેસ, અનિદ્રા જેવી બીજી સમસ્યાઓ પણ સર્જાઈ શકે છે. અહીં કબજિયાતને દૂર કરવાના કેટલાક સરળ અને અક્સીર ઘરગથ્થુ ઉપાય સૂચવવામાં આવ્યા છે.

ઈસબગુલ

ઈસબગુલને સંસ્કૃતમાં ‘સ્નિગ્ધબીજમ’ પણ કહેવામાં આવે છે. તે ફાઈબરથી ભરપૂર છે અને તે લેક્ઝેટિવ છે. તે કબજિયાત અને ડાયેરિયા બન્નેમાં ગુણકારી છે. રાત્રે બે ચમચી ઈસબગુલને એક ગ્લાસ પાણી કે દૂધમાં ભેળવી દો. સવારે તેમાં એક ચમચી ખાંડ ઉમેરીને પીવાથી કબજિયાતની સમસ્યા દૂર થશે. ઈસબગુલની કોઈ આડઅસર નથી. તમે દરરોજ તેને ઉપયોગ કરી શકો છો.

અળસી

અળસી એટલે કે ફ્લેક્સ સીડમાં પ્રચૂર માત્રામાં ઓમેગા- 3 ફેટી એસિડ છે, જે આરોગ્યપ્રદ છે. અળસીને પીસીને પાઉડર બનાવી લો. એક ચમચી પાઉડરને રાત્રે એક ગ્લાસમાં પાણીમાં પલાળી રાખો. સવારે આ પાણીને ગાળીને ખાલી પેટે પી જાઓ. આનાથી કબજિયાતમાં રાહત થશે.

ત્રિફળા ચૂર્ણ

કબજિયાતને દૂર કરવા માટે ત્રિફળા ચૂર્ણને ઉત્તમ માનવામાં આવે છે. આ આયુર્વેદિક ઔષધ છે, જે આમળાં, હરડે અને બહેડાના મિશ્રણથી બને છે. તેથી તેને ત્રિફળા (ત્રણ ફળોથી બનેલ) કહે છે. તેમાં ગ્લાઈકોસાઈડ નામનું તત્ત્વ છે, જે પાચનમાં મદદ કરે છે. એક ચમચી ત્રિફળા ચૂર્ણને રાત્રે તાંબાના લોટામાં પાણી ભરી તેમાં ભેળવી દો. સવારે આ પાણી પી જાઓ, કબજિયાત દૂર થશે.

મુનક્કા

દ્રાક્ષને ખાસ રીતે સૂકવવાથી મુનક્કા બને છે. મુનક્કા પેટ માટે ખૂબ લાભદાયી છે. મુનક્કા બે પ્રકારના હોય છે, લાલ મુનક્કા અને કાળા મુનક્કા. તેને ખાવાથી શરીરમાં હિમોગ્લોબીન વધે છે અને વાત, પિત્ત અને કફના દોષ દૂર થાય છે. મુનક્કાના બી કાઢી તેને રાત્રે પાણીમાં પલાળી રાખો. સવારે તેને ખાઈ જાઓ અને સાથે તેનું પાણી પણ પી જાઓ. કબજિયાતને દૂર કરવા માટે આ ઉપાય કારગત છે.

અજમો

અજમામાં કાર્બોહાઈડ્રેટ, સોડિયમ, પોટેશિયમ, ટેનિન, રિબોફ્લેવીન જેવા અનેક પોષક તત્ત્વો છે. પેટ સંબંધિત બિમારીઓને દૂર કરવા માટે અજમો ઉત્તમ છે. એક ગ્લાસ પાણીમાં પા ચમચી અજમાનો પાઉડર અને ચપટી મીઠું ભેળવો. હવે તેમાં બે ચમચા લીંબુનો રસ ભેળવી દરરોજ સવારે પીઓ. આનાથી તમારું પેટ સાફ આવશે અને ગેસ, અપચો જેવી સમસ્યા દૂર થશે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.

જામફળ : શિયાળાનું અમૃતફળ