*શરદપૂનમ માટે ખાસ અને મહત્ત્વનો સંદેશ*
*જો આપને આખું વર્ષ નિરોગી રહેવું હોય તો આપણે આપણા આરોગ્યની જાણવણી માટે એટલું ચોક્કસ કરીએ.*
*કોઈ વ્યક્તિ જ્યારે કુદરત સાથે સીધી જોડાયેલી હોય છે ત્યારે એની અંદર સોળે સોળ ગુણ ખીલે છે. ભગવાન કૃષ્ણમાં આવાં સોળે ગુણ ખીલેલાં છે*
*વર્ષમાં એક જ દિવસ એવો હોય છે કે જ્યારે ચંદ્ર સોળે કળાએ ખીલેલો હોય છે. આ દિવસે-રાત્રે ચંદ્રનાં જે કિરણો નીકળે છે એનાથી આપણાં શરીરને નવી ઊર્જા મળે છે. ચંદ્રનાં કિરણો એક અર્થમાં આકાશમાંથી સાચું અમૃત વરસાવે છે*
*ભારતમાં સદીઓથી શરદ-પૂનમની રાત્રે દૂધ, સાકર અને ચોખાથી બનેલી ખીર કે દૂધ પોઆ અગાસીમાં મૂકી રાખવાની પ્રથા છે*
*આખી રાત્રિ અથવા અમુક કલાક આ રીતે ખીરને અગાસીમાં રાખ્યા બાદ આરોગવામાં આવે તો ચંદ્રની આ ઊર્જા આપણને મળે છે. આપણે પ્રભુને કોઈ ચીજ ધરાવીએ એટલે પ્રભુની ઊર્જા એમાં પ્રવેશે છે અને એ ચીજ પ્રસાદ બની જાય છે. ખીરમાં ચંદ્રની ઊર્જા પ્રવેશવાથી આવી ખીર એ આયુર્વેદ પ્રસાદ બની જાય છે*
*આજે મૂળ વાત કરવી છે ખડીસાકરની,,,,!*
*શરદ-પૂનમની રાત્રે આપણે જો ખડી સાકર (મોટા ટુકડાવાળી) ને અગાસીમાં મૂકી દઈએ તો આખી રાત્રિ ચંદ્રની સોળે કળાઓ આવી ખડી સાકરમાં પ્રવેશે છે. શરદ પૂનમની રાત્રિએ ચંદ્રની અંદરથી એવા ખાસ કિરણો નીકળે છે જે આપણાં શરીરને આરોગ્ય અને મનને પરમ શાંતિ આપે છે. ખડી સાકરની અંદર ચંદ્રની આવી અસર પ્રવેશે છે. ચોમાસું પૂરું થાય અને શિયાળો શરૂ થાય એની વચ્ચેનો જે સમય છે એ છે શરદઋતુ*
*ગાંધીની દુકાનેથી 5 કિલો જેટલી ખડી સાકર ખરીદીને લાવવાની. શરદ પૂનમે એટલે કે આસો સુદ પૂનમ ,13મી ઓક્ટોબર, રવિવારે 2019ની રાત્રે અગાસીમાં એક મલમલ જેવા આછા સફેદ કપડામાં એને મૂકી દેવાની. ઉપર જાળી ઢાંકી શકાય. આપ જે ખાટલામાં સાકર મૂકો એનાં ચારે પાયાની નીચે પાણી ભરેલું વાસણ રાખવાનું. આમ કરવાથી કીડી કે મંકોડા સાકરને ખાવા નહીં આવી શકે. સવાર સુધી આ ખડી સાકર અગાસીમાં રાખો એટલે ચંદ્રનાં શીતળ કિરણોની પિત્તશામક અસર એની અંદર આવી જશે. સવારે આ ખડી સાકરનાં થોડાંક નાના ટુકડા કરીને એને કાચની બરણીમાં ભરીને મૂકી રાખવાની*
*જ્યારે એસિડિટી થાય, પેટમાં દુઃખે, માથું દુઃખે ત્યારે આ ખડી સાકર ચૂસવાથી ખૂબ ઝડપથી એસિડ શાંત થશે. પિત પેટમાંથી ઉપર ચડીને માથું દુઃખાડે છે. આવા સમયે આ ખડી સાકર ચૂસવાથી પિત શાંત થશે, સરવાળે માથું દુઃખતું મટશે. વર્ષ દરમિયાન આયુર્વેદની કોઈ પણ દવા કે અન્ય કિચન મેડિસીન લેતી વખતે એની સાથે આમાંથી થોડીક ખડી સાકર લેવાય તો એ દવાની અસર વધુ સારી થશે. થોડોક સમય કાઢીને આપણે પણ જો શરદ-પૂનમની રાત્રિએ અગાસીમાં બેસીએ તો આપણાં તન-મન ઉપર, આપણાં અગણિત ન્યૂરોન્સ પર એની અદભુત અસર થાય છે તો આવા શરદપુનમના તહેવારને વૈજ્ઞાનિક રીતે મનાવીએ*
*આવી રહેલાં નવા વર્ષે આપનાં ઘેર કોઈ આવે ત્યારે એનું મોં નકલી દૂધનાં પેંડા, કાજુ કતરી કે બરફીથી કરાવવાને બદલે આવી ખડી સાકરથી કરાવશો તો એ વ્યક્તિને પણ લાભ થશે. આપ ઈચ્છો તો આવી સાકરનાં 100 થી 200 ગ્રામનાં પેકેટ કોઈને ભેટમાં આપીને આપણા સ્વજનોને નિરોગી રાખવા પ્રયત્ન કરજો*
*આપણું લિવર પાચન માટે પિત (bile) બનાવે છે, આપણું પેટ એસિડ (hydrochloric acid) બનાવે છે અને આપણું સ્વાદુપિંડ (પેન્ક્રિઆસ) સ્વાદુપિંડ-રસ (pancreatic juice) બનાવે છે. આ બધું પાચનનું 4 થી 5 લિટર પ્રવાહી પેટમાં ભેગું થાય છે. શરદ પૂનમની આ ખડી/સાકર બધાંને શાંત રાખી શકે એટલી તાકાત ધરાવે છે*
*13મી ઓક્ટોબરે શરદપૂનમ છે. હજુ આપની પાસે પૂરતો સમય છે.* *જઈને *5-10 કિલો ખડી સાકર લાવો,અગાસીમાં રાખીને આપ પણ એનો લાભ લો*
*કામ વગરની ખોટી ગિફ્ટ આપવી એના કરતાં જીવનમાં કંઈક કામમાં આવે તેવું આપજો*
*આવો કુદરતના ખોળે જીવવા પ્રયત્ન કરશો તો બીમારીઓ આપના ઘરની બારીમાં ડોકિયું કરવા પણ નહીં આવે*
*વંદે માતરમ, સર્વે સન્તુ નિરામયા, ૐ શાંતિ*
*વિક્રમ કકૈયા ના જય શ્રી કૃષ્ણ*
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો